March 13, 2025
KalTak 24 News
Gujarat

ખેડા જિલ્લાનો સૌથી મોટો રંગોત્સવ શુક્રવારે સવારે વડતાલ ધામ ખાતે ઉજવાશે, અડધા લાખથી વધુ ભક્તો શ્રીજીના પ્રસાદીના રંગોથી રંગાઇ ભક્તિમાં લીન થશે

kheda-districts-biggest-color-festival-will-be-celebrated-at-vadtal-dham-on-friday-morning-vadtal
  • વિવિધ કલરના ૭૦ થી ૮૦ ફુટ ઉંચા ૨૫૦ બ્લાસ્ટ કરાશે
  • ૫ હજાર કિલો કેસુડાના ફુલનો ઉપયોગ કરાશે

Vadtal : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે ફાગણસુદ પુનમને તા.૧૪ માર્ચ શુક્રવારના રોજ ૨૦૯મો ફુલદોત્સવ ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવનાર છે. ભગવાન શ્રી સ્વામિનારાયણને ફુલદોલ ઉત્સવ બહુ પ્રિય હતો. વડતાલમાં આવેલ જ્ઞાનબાગમાં ભગવાન શ્રીહરિનંદ સંતો સાથે મનભરીને રંગે રમ્યા હતા. આ ઐતિહાસિક અવસરને ૨૦૯ વર્ષ થયા છે. તેની સ્મૃતિમાં વડતાલ મંદિરના પટાંગણમાં પ્રતિવર્ષ ફાગણી પુનમે રંગોત્સવ ઉજવાય છે.




રંગોત્સવની માહિતી આપતી વડતાલ મંદિરના કોઠારી ડો.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજના સાનિધ્યમાં સંતો અને ભક્તો તા.૧૪ માર્ચના રોજ ફાગણી પુનમના રોજ ખેડા જિલ્લાનો સૌથી મોટો રંગોત્સવ ઉજવાશે. રંગોત્સવની વિશેષતાની વાત કરીએ તો મંદિરમાં બિરાજતા દેવોને વિશેષ શણગાર કરવામાં આવશે જે બાદ ૭ પ્રકારના ૫૦૦૦ કિલો રંગ અર્પણ કરાશે. સવારે ભગવાનને રંગ ધરાવીને ભક્તો પર સંતો દ્વારા છંટકાવ કરાશે. આ ઉપરાંત કેસુડાના ૫૦૦૦ કિલો ફુલ, ૨૦૦૦ કિલો ગુલાબની પાંદડીઓ તથા ૧૦૦૦ કિલો હજારીના ફુલની પાંદડીઓથી ભગવાન પર અભિષેક કરાશે. આ ઓર્ગેનીક સપ્તધનુષના રંગો રાજસ્થાનથી મંગાવવામાં આવ્યા છે. શ્રીહરિના રંગે રંગાવવાનો આ અલૌકિક લ્હાવો હશે, ભક્તોને રંગાવવાનો. ૫૦ હજારથી વધુ ભક્તો અક્ષર ભુવન પાછળ તૈયાર કરેલ સ્ટેજ પાસે શ્રીજીના પ્રસાદીના રંગોથી રંગાઇને ભક્તિના રંગમાં તળબોળ થઇને આનંદ કિલ્લોલ કરશે.

વડતાલ મંદિર ખાતે યોજાનારા ખેડા જિલ્લાના સૌથી મોટા રંગોત્સવમાં ૫ દેશના તથા સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્રના હજ્જારો હરિભક્તો આવશે. આ માટે મંદિરના વહીવટી સંતો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે જે પૂર્ણતાના આરે છે. આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના સાંનિધ્યમાં ચેરમેન દેવપ્રકાશસ્વામી સહિત વડીલ સંતો એક સાથે શ્રીજીના રંગે રંગાશે. હાલ સમગ્ર મંદિર પરિસરને ભવ્ય રીતે શણગારવામાં આવેલ છે. મંદિર પરિસરમાં અલગ અલગ કલરના ૭૦ થી ૮૦ ફુટ ઉંચા ૨૫૦ બ્લાસ્ટ કરાશે.૩૦૦૦ હજાર કિલો કલરને એરપ્રેશર મશીન દ્વારા ભક્તો પર ઉડાડવામાં આવસે.આ ઉપરાંત ૧૫૦ થી વધુ રિબિન બ્લાસ્ટ કરવામાં આવશે. ભક્તો શ્રીજીના રંગે રંગાયા બા રાસ ગરબાની રમઝડ બોલાવશે. ૫ ડીજે ના સથવારે રંગોત્સવ ઉજવાશે.

ફાગણી પુનમ તા. ૧૪મીને શુક્રવારે વડતાલ મંદિરના પવિત્રાનંદસ્વામીના સભામંડપમાં સુરત (રામપુરા) મંદિરના કોઠારી શાસ્ત્રી સ્વામી પુરૂષોત્તમપ્રકાશદાસજી (પી.પી.સ્વામી) ફાગણી કથાનું ભક્તોને રસપાન કરાવશે. સવારે ૭.૩૦ થી ૧૧.૩૦ કલાક સુધી યોજાનારા રંગ ઉત્સવમાં આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ ઉપ્થિત રહીને ભક્તોને રંગભીના આર્શીવાદ પાઠવશે.




ત્યારબાદ આચાર્ય મહારાજ શ્રીઅક્ષર ભુવન પાછળ તૈયાર કરવામાં આવેલ મંચ ઉપરથી શ્રી હરિકૃષ્ણ મહારાજના પ્રસાદીના કેસુડાના રંગથી કેસર ધારા વહેવડાવશે. સમગ્ર રંગોત્સવના યજમાન શ્રી સ્વામિનારાયણ મંદિર ફલોરેન્સ યુ.એસ.એ., શ્રી સ્વામિનારાયણ મંદિર ગઢપુર ધામ વતી રમેશભાઇ જીવરાજભાઇ ધાનાણી, કિરણભાઇ હર્ષદભાઇ પટેલ હસ્તે શાસ્ત્રી હરિચરણ દાસજી (જલગાંવવાળા) છે. સમગ્ર રંગોત્સવ ઉત્સવના આયોજક વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશસ્વામી તથા કોઠારી ડો.સંત વલ્લભદાસજી સ્વામી છે. સમગ્ર ઉત્સવની વ્યવસ્થા શ્યામવલ્લભસ્વામી, તથા કાર્યકર્તાઓની ટીમે કરી છે.

 

Advertisement

Advertisement

 

 

 

 




Related posts

સુરત એસ.ટી. ડેપો દ્વારા દિવાળીની તૈયારી શરૂ; દિવાળી સુધી GSRTC સુરતથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત વિવિધ સ્થળોએ એક્સ્ટ્રા બસો દોડાવશે

KalTak24 News Team

અમદાવાદ/ વિશ્વ ઉમિયાધામ દ્વારા આઝાદીના ઈતિહાસમાં પ્રથમવાર દેશના રાજવી પરિવારોનું કર્યું સન્માન..

KalTak24 News Team

BREAKING NEWS: ધોરણ-12 ના વિજ્ઞાન પ્રવાહના પરિણામની તારીખ જાહેર,પહેલીવાર વોટ્સએપથી જાણી શકાશે પરિણામ

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં