December 19, 2024
KalTak 24 News
Gujarat

આણંદના તારાપુર-ધર્મજ હાઈવે પર ટ્રક અને લકઝરી બસ વચ્ચે અકસ્માતમાં 3ના મોત

3-killed-in-an-accident-between-a-truck-and-a-luxury-bus-on-the-tarapur-dharmaj-highway-in-anand-news

Anand Accident: રાજ્યમાં અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે, ત્યારે આણંદના તારાપુર-ધર્મજ હાઇવે પર અકસ્માતનો બનાવ બન્યો છે. રાજકોટથી સુરત જતી ખાનગી બસ એક ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં ત્રણ લોકોના બનાવ સ્થળે મોત નીપજ્યાં છે. જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અક્સમાતના પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો. સ્થાનિક પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી. મૃતદેહોને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર, આજે વહેલી સવારે રાજકોટથી સુરત તરફ જતી એક ખાનગી બસ ટ્રક સાથે અથડાઇ હતી. તારાપુર-ધર્મજ હાઇવે પર વડલદા પાટિયા પાસે ઓવરટેક કરતી વખતે અકસ્માતનો આ બનાવ બન્યો હતો. ટ્રક અને બસનો અકસ્માત થતાં લોકોની ચીસો સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા. બનાવ અંગે સ્થાનિક પોલીસ અને 108ની ટીમને જાણ કરવામાં આવી હતી.

મૃતકોના નામ

  1. ધ્રુવ રૂડાણી 
  2. મનસુખભાઈ કોરાટ 
  3. કલ્પેશ જીયાણી

 

બનાવની જાણ થતાં પોલીસ અને 108ની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી. અકસ્માતમાં ત્રણ મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચતા બનાવ સ્થળે તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે 15 જેટલ મુસાફરોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે પેટલાદ હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતના પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે ટ્રાફિક પૂર્વવત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

Advertisement
Advertisement

 

 

 

 

Related posts

CM ભૂપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલ દિલ્હી રવાના,ઉમેદવારો નક્કી કરવા બોલાવાઈ તાત્કાલિક મીટિંગ

KalTak24 News Team

ગાંધીનગર/ આજથી સમગ્ર ગુજરાતમાં વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમનો પ્રારંભ,સરદાર પટેલ જયંતી સુધી ગુજરાતના 33 જિલ્લાઓ થશે વિવિધ કાર્યક્રમો

KalTak24 News Team

NARMADA : નર્મદામાં બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રા પર પથ્થરમારો,પોલીસે છોડ્યા ટીયરગેસના સેલ,જુઓ VIDEO

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં