રાષ્ટ્રીય
Trending

જૂના સંસદભવનમાં ફોટો સેશન દરમિયાન ગુજરાતના રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન અચાનક થયા બેહોશ: Video

Old Parliament Building Photoshoot: સાંસદોના ગ્રુપ ફોટો સેશન દરમિયાન અચાનક બેભાન થઈ ગયા ભાજપના સાંસદ નરહરી અમીન, જોકે થોડા સમય પછી તેમની તબિયતમાં સુધારો થયો અને તેઓ ફરીથી ફોટો સેશનમાં જોડાયા.

  • સવારે જૂના સંસદ ભવન પહોંચ્યા હતા સાંસદો
  • સાંસદોનું ચાલી રહ્યું હતું ગ્રુપ ફોટો સેશન 
  • અચાનક બેહોશ થઈ ગયા હતા સાંસદ નરહરી અમીન 

Narhari Amin unconscious during New Parliament photo session : આજનો દિવસ ભારતીય લોકશાહી માટે સુવર્ણ અક્ષરે લખાશે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા એ સત્તાવાર રીતે નવા સંસદ ભવનને (New Parliament Building) સંસદ ભવનનો દરજ્જો આપ્યો છે. લોકસભા સચિવાલયે પણ એક જાહેરનામું બહાર પાડ્યું છે. નિયમોનુસાર સંસદનું સત્ર શરૂ કરવા માટે આ કરવું જરૂરી છે.

ફોટો સેશન દરમ્યાન ગુજરાતના સાંસદ થયા બેભાન
આજે ગણેશ ચતુર્થીના પાવન અવસર પર નવી સંસદના શ્રીગણેશ થઈ રહ્યાં છે. ત્યારે જુના સંસદ ભવનમાં સાંસદોનું ફોટોસેશન કરાયુ હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી સહિત તમામ સાંસદો હાજર હતા. ત્યારે ગુજરાતના ભાજપના સાંસદ નરહરિ અમીનની (Narhari Amin) તબિયત લથડી હતી. તેઓ અચાનક બેભાન થઈ ગયા હતા. ગૃહમંત્રી અમિત શાહે તાત્કાલિક નરહરિ અમીનની સંભાળ લીધી. હાલ નરહરિ અમીનની તબીયત સારી છે.

 

View this post on Instagram

 

A post shared by KalTak24 News (@kaltak24news)

હાલમાં સંસદનું વિશેષ સત્ર ચાલી રહ્યું છે. આજે સત્રનો બીજો દિવસ છે. નવા સંસદ ભવનમાં આજથી સત્રની કાર્યવાહી શરૂ થશે. આ સાથે ભારતે એડવિન લ્યુટિયન્સ દ્વારા ડિઝાઇન કરાયેલ 96 વર્ષ જૂના સંસદ ભવનને ટાટાને બાય-બાય કહ્યું છે. મહિલા આરક્ષણ બિલને સોમવારે મોદી કેબિનેટે વિશેષ સત્ર દરમિયાન મંજૂરી આપી હતી.

ત્યાર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાથમાં બંધારણની નકલ સાથે જૂની સંસદથી નવી સંસદ સુધી પગપાળા યાત્રા કરશે. તેમની સાથે લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોના 795 સાંસદો પણ હાજર રહેશે. આ સાથે 96 વર્ષ જૂનું સંસદ ભવન ઈતિહાસના પાનામાં નોંધાઈ જશે.

નવી સંસદમાં પ્રવેશતા પહેલા સંસદમાં કામ કરતા કર્મચારીઓ અને સુરક્ષા દળો માટે નવો ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. નવી સંસદમાં પ્રથમ દિવસની કાર્યવાહી દરમિયાન સુરક્ષાકર્મીઓ નવા ડ્રેસમાં જોવા મળ્યા હતા.

ભારતના નવા સંસદ ભવનનાં વિવિધ પ્રવેશદ્વારો પર મુકવામાં આવેલી જાજરમાન પ્રાણીઓની મૂર્તિઓ પાછળ ઘણી વસ્તુઓ પણ સમજાવે છે. સંસદના છ પ્રવેશદ્વારોમાં શુભ પ્રાણીઓ તેમજ પૌરાણિક જીવોની મૂર્તિઓ છે જેને “દ્વારપાલ” તરીકે મૂકવામાં આવ્યા છે. પ્રવેશદ્વાર પરના શિલ્પોમાં ગરુડ, ગજ (હાથી), અશ્વ (ઘોડો), મગર, હંસ અને શાર્દુલા (પૌરાણિક પ્રાણી)નો સમાવેશ થાય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે દરેક પ્રાણી પ્રકૃતિ અને તેના વિવિધ સ્વરૂપોનું પ્રતીક છે. 

માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં તેને લોકસભામાં રજૂ કરી શકે છે. આ પહેલીવાર નથી જ્યારે મહિલા અનામત બિલ ગૃહના ટેબલ પર આવશે. 1996થી 27 વર્ષમાં સંસદમાં આ મહત્વનો મુદ્દો ઘણી વખત ઉઠાવવામાં આવ્યો છે. પરંતુ તે બંને ગૃહમાં પસાર થઈ શક્યું ન હતું. 2010માં તેને રાજ્યસભામાં પણ હોબાળા વચ્ચે પસાર કરવામાં આવ્યુ હતું. પરંતુ તે લોકસભામાં પસાર થઈ શક્યું ન હતું.

 

Slider Kaltak24

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા મહિલાઓએ આ કારણે ખાવી જોઇએ મેથી,ઘણા થશે ફાયદા