February 13, 2025
KalTak 24 News
Gujarat

ભરૂચમાં હાંસોટ પાસે બે કાર વચ્ચે જોરદાર ટક્કર,પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત,બાળકીનો બચાવ

5 killed in an accident near Hansot in Bharuch

5 killed in an accident near Hansot in Bharuch:રાજ્યમાં વધતા જતા અકસ્માતના ચિંતાજનક બનાવવાની વણઝાર વચ્ચે આજે ભરૂચના હાંસોટ તાલુકાનો માર્ગ રક્તરંજીત બન્યો છે. જેમાં હાંસોટ પંથકના અલવા ગામે બે કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો. જેમાં ચાર લોકોને કાળ આંબી જતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. ત્રણ મહિલા અને એક પુરુષના મોતને પગલે સ્થાનિક પોલીસ કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો. જો કે આ અકસ્માત દરમિયાન કારમાં સવાર એક બાળકીનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો.

અકસ્માત અંગેની મળતી માહિતી અનુસાર, ભરૂચના હાંસોટ તાલુકાના અલવા ગામ પાસે બે કાર સામ સામે જોરદાર અથડાઈ હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે, કારમાં બેસેલા 5 વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા હતા. જો કે, કારમાં સવાર બાળકીનો ચમત્કારિક બચાવ થયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બંને કારના ફુરચેફુરચા નીકળી ગયા હતા. બનાવ અંગેની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતમાં જ્યારે ગાડીનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો અને કારમાં સવાર તમામ વયસ્કો મોતને ભેટ્યા હતા ત્યારે માત્ર 2 વર્ષ નો બાળક યુસુફ દિલાવર પટેલ કાળને હાથ તાળી આપી ચમત્કારિક રીતે બચી ગયો હતો. અકસ્માતગ્રસ્ત વરના ગાડીમાંથી 2 વર્ષીય યુસુફને લોકોએ સાવચેતી પૂર્વક બહાર કાઢ્યો હતો અને તાત્કાલિક પ્રાથમિક સારવાર અર્થે હાંસોટ અને ત્યાંથી વધુ સારવાર અર્થે ભરૂચ શિફ્ટ કર્યો હતો. આ અકસ્માતમાં બચી ગયેલ 2 વર્ષીય યુસુફ ની માતા, માસી અને નાના નાનીના મોત નીપજ્યા હતા.

બીજી બાજુ અકસ્માતમાં કારના કુરચેકુરચા ઉડી ગયા હોવાનું પણ સામે આવ્યું છે. હ્યુન્ડાઈ વેન્યુ કાર રજિસ્ટર નંબર GJ. 16. DG. 8381 અને GJ.06.FQ.7311 નંબરની હ્યુન્ડાઈ વર્ના કાર વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી. હ્યુન્ડાઈ વેન્યુ ભરૂચના હિરેન્દ્રસિંહ અને હ્યુન્ડાઈ વર્ના કાર ભરૂચના રેડીમેઈડ ગારમેન્ટના વેપારી ઇક્રામભાઈ આ નામે નોંધાયેલ છે. વાયુવેગે આવતી કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યા બાદ આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી. જેને લઈને સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક બનાવ સ્થળે દોડી ગયા હતા. બીજી બાજુ અકસ્માતને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

અકસ્માતની ઘટનામાં બંને કારને ખૂબજ નુકસાન થયું છે. જેમાં વર્ના કારમાં સવાર પાંચ લોકોના મોત નિપજ્યા છે. પરંતુ, સામે વેન્યૂ કારમાં એરબેગ ખુલ્લી જવાના કારણે કારમાં સવાર લોકોના જીવ બચી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

No description available.

બે કાર વચ્ચે જે અકસ્માત થયો છે. તેમાં વર્ના કારમાં સવાર ઈમ્તિયાઝભાઈ પટેલ, તેમના પત્ની સલમાબેન પટેલ, ઈમ્તિયાઝભાઈના પુત્રી મારિયા દિલાવર પટેલ અને બીજી દીકરી અફિફા સફવાન ઈલ્યાસ અફીણી અનેન ઈમ્તિયાઝભાઈના ભાભી જમિલા પટેલના મોત નિપજ્યા છે.

 

Related posts

ગુજરાતની સગર્ભા બહેનો તથા ધાત્રી માતાઓને જાહેર આરોગ્ય સંસ્થાઓમાં પહોંચાડતી ખિલખિલાટ વાન; ૧૨ વર્ષમાં ૧.૧૯ કરોડ લાભાર્થીઓના જીવનમાં લાવી “ખિલખિલાટ”

KalTak24 News Team

સુરતના સરથાણા શ્યામધામ મંદિર પાસે આંગડિયામાં એક કરોડથી વધુના ડાયમંડ પાર્સલની લૂંટ,વલસાડ LCBએ ગણતરીના કલાકોમાં કરી આરોપીઓની ધરપકડ

KalTak24 News Team

ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકારની નવી પહેલ; ગુજરાત પોલીસ દ્વારા નવી હેલ્પલાઇન-18002331122 શરૂ

KalTak24 News Team