February 5, 2025
KalTak 24 News
BharatGujarat

MahaKumbh 2025/ વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા 100 સંતોએ ષટતિલા એકાદશીએ પ્રયાગરાજ ત્રિવેણી સંગમ ખાતે લગાવી આસ્થાની ડૂબકી;જુઓ તસ્વીરો

acharya-rakesh-prasadji-maharaj-of-vadtal-gadi-and-100-saints-took-the-dip-of-faith-at-prayagraj-triveni-sangam-on-shattila-ekadashi-mahakumbh

MahaKumbh Mela 2025: ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ, વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન દેવપ્રકાશસ્વામી મુખ્ય કોઠારી ડો. સંતવલ્લભસ્વામી સહિત ધોલેરા, ગઢપુર, સાળંગપુર, જુનાગઢ અને અમદાવાદના સંતોએ તા.૨૫ જાન્યુઆરીને શનિવારના રોજ ષટતિલા એકાદશીના શુભદિને પ્રાત:કાળે પ્રયાગરાજ ખાતે ત્રિવેણીસંગમમા કુંભસ્નાન કર્યું હતું.

સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણદેશ વિભાગ ગાદીના આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ પ્રયાગરાજ ખાતે પહોંચ્યા હતા. અને શનિવારે પ્રાત:કાળે ષટતિલા એકાદશીના શુભદિને પ્રયાગરાજના રાજમાર્ગો પર સ્વામિનારાયણ મહામંત્રની ધૂન સાથે ત્રિવેણી સંગમે પહોંચી સંતો સાથે પવિત્ર સ્નાન કર્યું હતું.

આ કુંભ સ્નાનમાં વડતાલ મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન દેવપ્રકાશસ્વામી, શાસ્ત્રી.પૂ.માધવપ્રિયદાસજીસ્વામી, છારોડી ગુરૂકુળ, મુખ્ય કોઠારી ડો.સંતવલ્લભદાસજીસ્વામી, પૂ.શ્યામસ્વામી સહિત સંપ્રદાયના સંતો જોડાયા હતા.

પૂ.આચાર્ય મહારાજ, ચેરમેન દેવપ્રકાશસ્વામી તથા કોઠારી ડો.સંતસ્વામીએ જગતગુરૂ રામભદ્રાચાર્યજી મહારાજશ્રી તથા મહામંડલેશ્વર આચાર્ય અવધેશાનંદગીરીજી મહારાજ સાથે મુલાકાત કરી વિચાર ગોષ્ઠી કરી હતી. તેની પણ મુલાકાત લીધી હતી. સત્સંગ મહાસભાના પ્રમુખ શા.નૌત્તમપ્રકાશદાસજીએ પણ પ્રયાગરાજમાં કુંભસ્નાન કર્યું હતું.

 

 

Advertisement
Advertisement

 

 

 

 

Related posts

રાજકોટ/કાગવડ શ્રી ખોડલધામ મંદિર ખાતે આગામી 21 જાન્યુઆરીએ 7 વર્ષ પૂર્ણ થતાં કેન્સર હોસ્પિટલનું 7 દીકરીઓ કરશે ભૂમિ પૂજન,કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ

Sanskar Sojitra

Breaking News : સુરતની જૂની બોમ્બે માર્કેટમાં કાપડની દુકાનમાં લાગી આગ,ફાયર ફાયટરની ટીમ દ્વારા આગ પર મેળવ્યો કાબૂમાં,VIDEO

KalTak24 News Team

Organ Donation in Surat: સુરતમાં વધુ એક અંગદાન,રાંક પરિવારે મોભીનું લીવર,બંને કીડની અને ચક્ષુઓનું દાન કરી સમાજને ચિંધ્યો નવો રાહ

Sanskar Sojitra
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં