September 21, 2024
KalTak 24 News
Gujarat

સુરત/ પક્ષપલટો કરનાર નેતા ઊભી પૂંછડિયે ભાગ્યા! સુરતમાં ભુપત ભાયાણીને AAP નેતાએ પાર્ટી છોડવાનું કારણ પૂછતાં થઈ જોવા જેવી,VIDEO

Surat AAP Leader

Surat News: સુરતમાં આમ આદમી પાર્ટીમાંથી પક્ષ પલટો કરનારા ધારાસભ્ય ભૂપત ભાયાણીનો વિડીયો વાયરલ થયો છે. કાપોદ્રા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ટ્રાફિક જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા હતા. આ દરમિયાન ભૂપત ભાયાણી ત્યાં આવ્યા હતા. ત્યારે આપ પાર્ટીના કોર્પોરેટરો આમ આદમી પાર્ટી છોડવાનું કારણ પૂછ્યું હતું પરંતુ તેઓ કોઈ જવાબ આપી શક્યા ન હતા અને ત્યાંથી જતા રહ્યા હતા.

જુઓ VIDEO:

 

SMCના વિરોધ પક્ષના નેતાએ સવાલ કરતા ભુપત ભાયાણી ભાગ્યા

સુરત આમ આદમી પાર્ટી દ્વારા સુરત શહેરમાં ટ્રાફિક જાગરુકતા માટે અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત સુરત મહાનગરપાલિકાના પૂર્વ વિરોધના પક્ષના નેતા ધર્મેશભાઈ ભંડેરી એમના સમર્થકો સાથે રોડ પર ઉભા રહીને ટ્રાફિક જાગૃતિ માટે અભિયાન ચલાવી રહ્યા હતા. એ જ દરમિયાન આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં સામેલ થયેલા ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણી એમને નજરે પડી ગયા હતા.

પાર્ટી છોડવાનું કારણ પૂછતા ન આપ્યો જવાબ

ધર્મેશભાઈ ભંડેરીએ ભુપતભાઈ ભાયાણીને આમ આદમી પાર્ટી છોડવાના પ્રશ્ન પૂછવાના શરૂ કર્યા હતા. અનેક પ્રશ્નો બાદ ભુપતભાઈ ભાયાણી એ કોઈ પણ ચોક્કસ જવાબ એમને આપ્યો ના હતો. ખાલી એટલું જ કહ્યું હતું કે, પાર્ટી છોડવાના અનેક કારણો છે. વાયરલ વીડિયોમાં ધર્મેશભાઈ ભંડેરી ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણી એમ પણ કહી રહ્યા છે કે, તેમની ટિકિટની ભલામણ ખુદ એમણે પોતે કરી હતી, તો પછી તમે પાર્ટી સાથે આવી ગદ્દારી કેમ કરી છે. આપ છોડી ભાજપમાં ગયેલા ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધર્મેશ ભંડેરીના જવાબ આપવાની જગ્યા ભાગવાનું જ સરળ સમજ્યું હતું. સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ ગઈ હતી.

 

Group 69

 

 

Related posts

રાજકોટ/ ‘માણસ માત્ર ભૂલને પાત્ર…’, મતદાન બાદ પરસોત્તમ રૂપાલાએ ફરી ક્ષત્રિય સમાજની માગી માફી, જાણો શું કહ્યું ?

KalTak24 News Team

દ્વારકા બાદ રાજ્યના વધુ એક જાણીતા મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો પર લગાવાયો પ્રતિબંધ,મંદિર બહાર લગાવાઈ નોટિસ

KalTak24 News Team

રથયાત્રા માટે ગુજરાતના આ શહેરમાં તૈયાર થયો સૌથી મોટો રથ,સંપૂર્ણ રીતે હાઇડ્રોલિક રથ-ગુજરાતમાં પ્રથમ મોટો રથ

Sanskar Sojitra
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી