September 21, 2024
KalTak 24 News
Gujarat

અમરેલી/ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં દીપડાનો આતંક યથાવત,અમરેલીમાં દીપડાના હુમલામાં 7 વર્ષના બાળકનું મોત,પરિવારમાં શોક

Amreli news

Amreli News: સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં દીપડાનો આતંક યથાવત છે. મળતી જાણકારી અનુસાર,  અમરેલી જિલ્લાના તરકતળાવ ગામમાં દીપડાના હુમલામાં એક સાત વર્ષીય બાળકનું મોત થયુ હતું. મૃતક બાળકનો પરિવાર ખેતરમાં મજૂરી કરે છે.  દીપડાએ બાળક પર હુમલો કરતા પરિવારજનો દોડી આવ્યા અને બૂમાબૂમ કરી હતી. લોકો એકઠા થઇ જતા દીપડો ભાગી ગયો હતો પરંતુ પરિવારજનો બાળકને બચાવી શક્યા નહોતા.  ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને દીપડાને પકડવા કામગીરી શરૂ કરી હતી.

7 વર્ષના બાળકને લઈને ભાગ્યો દીપડો

મળતી માહિતી અનુસાર, અમરેલી તાલુકાના તળાવ ગામ નજીક આવેલા રમણીકભાઈ પોપટભાઈ દેવાણીના ખેતરમાં અચાનક દીપડો આવી ચડ્યો હતો અને ખેત મજૂર પરિવારના 7 વર્ષના બાળક અમિત જંગલાભાઈ માંડલીયાને દબોચી લીધો હતો. જે બાદ દીપડો બાળકને લઈને ભાગ્યો હતો. જોકે, બાળકના પરિવારજનો બૂમાબૂમ કરવા લાગતા દીપડો બાળકને લોહિયાળ હાલતમાં જ છોડીને નાસી છૂટ્યો હતો.

01d63475767662da06be09132ed3fbed170382147208674 original

બાળકનું મોત થતાં પરિવારમાં શોક

આ અંગેની જાણ થતાં આસપાસના ખેતરમાંથી ખેડૂતો દોડી આવ્યા હતા અને બાળકને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં ડોક્ટરે અમિતને મૃત જાહેર કર્યો હતો. રમણીકભાઈના ખેતરમાં ખેતમજૂરી કરતા મધ્ય પ્રદેશના પરિવારના બાળકનું મોત થતાં પરિવારમાં શોક છવાયો હતો.

06 1703829005

પરિવારજનો પાછળ દોડતા દીપડો ભાગી ગયો
મૃતકના સગા સુનિલભાઈએ જણાવ્યું હતું કે, અમે ખેતરમાં ગયા હતા, ત્યારે આ બાળક પાણી ભરવા ગયો હતો. જે સમયે દીપડો આવી જતા બાળકને ફાડી નાખ્યો હતો. બાળક બૂમાબૂમ કરવા લાગ્યો હતો. તેમજ પરિવારજનો પાછળ દોડતા દીપડો બાળકને છોડીને ભાગી ગયો હતો. બાળકને હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. જોકે, તેનું મોત થયું છે.

04 1703822523

અમરેલી એસીએફ મુનાફ શેખે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશથી ખેતીનુ કામ કરતા પરિવારના સાત વર્ષીય બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. દીપડો બાળકને પકડીને લઇ જતા તેના માતા પિતા તેની પાછળ દોડ્યા હતા. દીપડાએ 50 મીટર સુધી બાળકને ઢસડ્યો હતો. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયો હતો.

A seven-year-old child was killed in a leopard attack in Amreli district Amreli: સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં દીપડાનો આતંક યથાવત, અમરેલીમાં દીપડાના હુમલામાં બાળકનું મોત

વન વિભાગના અધિકારીઓ થયા દોડતા

આ અંગેની જાણ થતાં વન વિભાગની ટીમ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને પરિવારજનોના નિવેદનો લીધા હતા. જે બાદ અમરેલી ડિવિઝનના ઈન્ચાર્જ IFS સદીક મુંજવારની સૂચનાથી વન વિભાગના અધિકારીઓ અલગ-અલગ પાંજરાઓ ગોઠવી દીપડાને પકડવાની કવાયત હાથ ધરાઇ હતી.

 

Group 69

 

 

Related posts

ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનિલને કોર્ટે સંભળાવી ફાંસીની સજા,કોર્ટે રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવ્યો

KalTak24 News Team

ભાજપ,કોંગ્રેસ અને આપનાં દિગ્‍ગજ નેતાઓ ગુજરાતમાં સભાઓ અને રોડ-શો કરશે-જાણો કાર્યક્રમ

KalTak24 News Team

સુરેન્દ્રનગરની કાળજું કંપાવનારી ઘટના માતાએ 9 માસની પુત્રીની હત્યા કરી ગળાફાંસો ખાઇ લીધો

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી