March 25, 2025
KalTak 24 News
Gujarat

સુરત/ રવિવારે મોટા વરાછા વિસ્તારમાં માતા-પિતા વિહોણી 125 દીકરીઓનો યોજાશે શાહી સમૂહ લગ્નોત્સવ..

Surat News: સુરતના મીની સૌરાષ્ટ્ર ગણાતા વરાછા વિસ્તારમાં વધુ એક સેવાભાવી ટ્રસ્ટ દ્વારા માતા-પિતા-ભાઈ વિહોણીની અને ગરીબ પરિવારની દીકરીઓને રંગેચંગે પરણવાનું બીડું ઝડપ્યું છે ત્યારે વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટની આગેવાની હેઠળ આગામી તારીખ 11 ફેબ્રુઆરીએ 125 દીકરીઓને સાસરે વળાવવામાં આવશે.

વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી મેહુલ માલવિયાએ જણાવ્યું હતું કે તેમનું ટ્રસ્ટ સમાજ કલ્યાણ ની કામગીરી કરી રહ્યું છે આગામી ૧૧ ફેબ્રુઆરીના રોજ મોટા વરાછા ખાતેના જગદીશ ફાર્મમાં ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.આ લગ્નોત્સવમાં 125 દીકરીઓને રંગેચંગે સાસરે વળાવવામાં આવશે.125 દીકરીઓ પૈકી 103 દીકરીઓના માતા-પિતા કે ભાઈ હયાત નથી જ્યારે 22 દીકરીઓના માતા પિતા અને ભાઈની હાજરી છે પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ મદદે આવ્યું છે અને લગ્ન બાદ પણ ટ્રસ્ટ દીકરીઓની તમામ પ્રકારની મદદ માટે હાથ દબાવતું રહેશે હાલમાં ટ્રસ્ટમાં 880 લોકોની ટીમ કામ કરી રહી છે.

ભવ્ય સમૂહ લગ્નોત્સવ ની માહિતી આપતા ટ્રસ્ટીઓ

આ વખતે લગ્નોત્સવ રામ મંદિરની થીમ પર યોજવામાં આવી રહ્યો છે.સમૂહ લગ્નોત્સવ બાદ પણ દીકરીની તમામ કાળજી ટ્રસ્ટીએ દ્વારા લેવામાં આવે છે.આ ઉપરાંત માતા-પિતા વિહોણા બાળકોના અભ્યાસ માટે ભણવાની કીટ,સ્કૂલ ફી અને રાશન કીટ પણ પહોંચવામાં આવે છે.

વધુ વાતચીતમાં ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે આ લગ્ન ઉત્સવમાં ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ, ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા,ગુજરાત રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી, પૂર્વ આઇપીએસ ડીજી વણઝારા સહિત અન્ય મહાનુભવો હાજરી આપી નવદંપતીઓને આશીર્વાદ પાઠવશે.

 

 

 

Related posts

વડતાલ/ ગોધરા ઘનશ્યામ મહારાજના સુવર્ણ જ્યંતિ મહોત્સવના ઉપલક્ષમાં 108 ભક્તો પદયાત્રા કરી વડતાલ પધાર્યા,સંતોએ કર્યું સ્વાગત

Sanskar Sojitra

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે કચ્છની મુલાકાતે, રૂ.117 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ

KalTak24 News Team

‘કેમ બેટમજી?’ કહીને આદિત્ય ગઢવીને ભેટીને મળ્યા પીએમ મોદી;આશીર્વાદ આપતા શું કહ્યું પીએમ મોદી?

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં